એક જ દિવસમાં મેઘરાજાએ ગુજરાતને ધરવી દીધું: 30 તાલુકામાં 6થી લઈ 12 ઇંચ મેઘ મહેર, સિઝનનો 90 ટકા વધુ વરસાદ, નર્મદા ડેમ ભયજનક સપાટીથી 3 મીટર દૂર - ahmedabad news

Divyabhaskar

એક જ દિવસમાં મેઘરાજાએ ગુજરાતને ધરવી દીધું: 30 તાલુકામાં 6થી લઈ 12 ઇંચ મેઘ મહેર, સિઝનનો 90 ટકા વધુ વરસાદ, નર્મદા ડેમ ભયજનક સપાટીથી 3 મીટર દૂર - ahmedabad news"

Play all audios:

Loading...

હાલ રાજ્યમાં ડિપ્રેશનનું નિર્માણ થયું છે જેના કારણે 3 દિવસ ભારે વરસાદ પડશે. જેને પગલે તમામ જિલ્લાના વહીવટી તંત્ર અને સંલગ્ન વિભાગના અધિકારીઓની રજા રદ કરવાની કલેકટરો સૂચના આપી દીધી છે. સમગ્ર


રાજ્યમાં 90 ટકા વરસાદ પડ્યો છે. 24 કલાકમાં સરેરાશ અઢી ઇંચ વર . 3 તાલુકામાં 12 ઇંચ વરસાદ, 3ના મોત 26 ઓગસ્ટના રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 243 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાંથી 3 તાલુકમાં 12


ઇંચ, 1 તાલુકામાં 11 ઇંચ, ત્રણ તાલુકામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે નર્મદા ડેમ ભયજનક સપાટીથી માત્ર 3 મીટર દૂર છે. 24 કલાકમાં વરસાદના કારણે 1 દાહોદ અને 2 ગાંધીનગર માં કુલ 3 મૃત્યુ થયું


છે. કડાણા અને પાનમ ડેમમાંથી 26000 કયુસેક પાણી છોડાયું કડાણા અને પાનમ ડેમમાંથી અંદાજે 26000 કયુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે.જેને કારણે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે


વડોદરા જિલ્લાના મહીસાગર નદી કાંઠાના સાવલી તાલુકાના 28,વડોદરા ગ્રામ્યના 9 અને પાદરા તાલુકાના 12સહિત 49 ગામોના લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. નર્મદાના 23 ગેટ ખોલાયા રવિવારે રાત્રે સરદાર સરોવર


બંધનાં 15 દરવાજા 2.85 મીટર ખોલવામાં આવ્યા હતા. જોકે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતાં સોમવારે બપોર વધુ 8 ગેટ મળી કુલ - 23 ગેટ 2.2 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે. જેને કારણે બંધના નીચલા


વિસ્તારમાં 3.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદીના કિનારાના 28 ગામોને એલર્ટ નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તકેદારી અને સાવચેતીને ધ્યાને


રાખીને અસરગ્રસ્ત થતા ગામોમાં નાંદોદ તાલુકાના સિસોદરા, ભદામ, માંગરોલ, ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી, નવાપુરા, ધમણાચા, ધાનપોર, ભચરવાડા, હજરપુરા, શહેરાવ, વરાછા, પોઈચા, રૂંઢ ગામો અને ગરૂડેશ્વર


તાલુકાના સાંજરોલી, અંકતેશ્વર, સુરજવડ, ગોરા, ગરૂડેશ્વર, ગંભીરપુરા, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ, તિલકવાડા, વડીયા, વિરપુર, રેંગણ મળી ત્રણેય તાલુકાના ઉક્ત 28 ગામોના નાગરિકોને નદીના પટમાં


નહીં જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. મોરબીનો મચ્છુ-2 ડેમ 70% ભરાયો મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લી 24 કલાક કરતા વધુ સમયથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સ્થાનિક


જળાશયોમાં નવા નીરની આવક થયેલ છે. ત્યારે મોરબીના મચ્છુ -2 ડેમની 33 ફૂટની ઊંચાઈની સામે હાલમાં મચ્છુ-2 ડેમમાં 27.92 ફૂટ પાણી ભરાયું છે અને ડેમના કેચમેટ વિસ્તાર તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના


કારણે ડેમમાં સતત પાણીની આવક ચાલુ છે. હાલમાં 13,638 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જેથી કરીને કુલ મળીને 3104 mcft જળ જથ્થાની ક્ષમતા ધરાવતા આ ડેમમાં 2171 mcft પાણી ભરાયું છે. વરસાદને કારણે


રાજ્યભરમાં ભારે ખાનાખરાબી થઈ હતી. કરજણ ડેમના 6 દરવાજા ખોલાયા ​​​​​​​એમ એચ રાઠોડ. ( નાયબ કાર્યપાલક ઈજનેર )ના જણાવ્યા અનુસાર સરકારદ્વારા ચોમાસામાં નિયત કરાયેલા રૂલ લેવલને જાળવવાના હેતુસર આજે


26મી ઓગષ્ટ, 2024 ને સોમવારના રોજ બપોરે 4 કલાકની સ્થિતિએ આ ડેમની સપાટી 109.43 મીટર પહોંચી હતી. ડેમની સપાટીના રૂલ લેવલને જાળવવા માટે હાલમાં ડેમના કુલ 6 ગેટ 3.20 મીટર સુધી ખોલીને કરજણ નદીમાં


અંદાજિત 80975 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જાળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે. આમ છતાં નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ રહેવા તંત્ર


દ્વારા જાણ કરવામાં આવી છે.


Trending News

Baps swaminarayan akshardham: world's 2nd largest hindu temple outside india inaugurated | explained

Curated By : Last Updated:October 11, 2023, 16:13 IST THE TEMPLE, LOCATED 99 KILOMETRES SOUTH OF NEW YORK CITY, IS SPREA...

Jhanvi Kapoor, Ishaan Khattar, Sara Ali Khan attend special screening of Raazi

click this icon for latest updatesclick this icon for latest updatesAfter celebs were done celebrating Sonam Kapoor’s we...

ગુજરાતમાં વરસાદ પછી કોલેરાનો ખતરો: બહારની પ્લેટમાં ખાતાં પહેલાં સાચવજો, કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં શું પ્રતિબંધ? બચવા માટેના ઉપાયો - rajkot news

આજથી ગુજરાત પરથી અતિભારે વરસાદની ઘાત ટળી રહી હોય એવું લાગી રહ્યું છે. એક અઠવાડિયા સુધી મેઘરાજાએ ગુજરાતને બાનમાં લીધું હત...

Neetu kapoor shares priceless photos of raj kapoor-riddhima kapoor sahni and rishi kapoor-samara sahni

Neetu on Sunday (May 30) shared a couple of photos with late actors Rishi Kapoor and Raj Kapoor and it has made netizens...

N t rama rao | Latest N t rama rao - Eenadu

నాన్నే మా దైవం! కథానాయకుడిగా, మహానాయకుడిగా ఎన్టీఆర్‌ పోషించిన పాత్రల గురించి తెలుగువారికి తెలియంది లేదు వ్యక్తిత్వ సంపన్...

Latests News

એક જ દિવસમાં મેઘરાજાએ ગુજરાતને ધરવી દીધું: 30 તાલુકામાં 6થી લઈ 12 ઇંચ મેઘ મહેર, સિઝનનો 90 ટકા વધુ વરસાદ, નર્મદા ડેમ ભયજનક સપાટીથી 3 મીટર દૂર - ahmeda

હાલ રાજ્યમાં ડિપ્રેશનનું નિર્માણ થયું છે જેના કારણે 3 દિવસ ભારે વરસાદ પડશે. જેને પગલે તમામ જિલ્લાના વહીવટી તંત્ર અને સંલ...

Salmaan Taseer obituary | Salmaan Taseer | The Guardian

Salmaan Taseer was an exceptional figure in Pakistani politics, a flamboyant and bold leader who never shirked from spea...

Vijay sethupathi, puri jagannadh's pan-indian film to start rolling from june - the statesman

If sources in the industry are to be believed, the unit of director Puri Jagannadh’s upcoming film with actor Vijay Seth...

Pm modi visits shrinathji temple in rajasthan

Prime Minister Narendra Modi on Wednesday offered prayers at the Shrinathji temple in Nathdwara town of Rajasthan’s Rajs...

SUDHANSHU TRIVEDI: Latest News Headlines, Top Photos, Videos in Hindi - Jagran

Delhi Crime: दिल्ली में हथियार तस्करी गिरोह का भंडाफोड़, 12 सेमी ऑटोमेटिक पिस्टल के साथ दो तस्कर गिरफ्तार IPL 2025: लखनऊ...

Top